India Pakistan War News LIVE: ગુજરાતના તમામ એરપોર્ટ્સ એલર્ટ પર, અમદાવાદ એરપોર્ટની ઉડાન સેવાઓ પ્રભાવિત

India Pakistan War News તણાવ વધતાં ગુજરાતના તમામ એરપોર્ટ્સ હાઈ એલર્ટ પર છે. અમદાવાદ એરપોર્ટ પર ઉડાન સેવાઓમાં ભારે વિક્ષેપ જોવામાં આવી રહ્યો છે.

India Pakistan War News LIVE : ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળ હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ, ભારતે વળતો જવાબ આપ્યો અને તેના ઘણા શહેરોને હચમચાવી નાખ્યા. પેજ રિફ્રેશ કરતા રહો…
બનાસકાંઠા જિલ્લામાં યુદ્ધની પરિસ્થિતિના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
બનાસકાંઠા જિલ્લામાં યુદ્ધની પરિસ્થિતિના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે, જેમાં અધિકારીઓ અને તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવા અને તલાટીઓને ફરજિયાત ગ્રામ પંચાયતમાં હાજર રહેવા આદેશ આપાયો છે; તેમજ તલાટીઓએ ગ્રામજનોને સાવચેતી અને સુરક્ષા બાબત માહિતગાર કરવાની સૂચના અપાઈ છે. ભુજ અને જેસલમેરમાં થયેલા ડ્રોન હુમલાઓના પગલે બનાસકાંઠાને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યો છે અને સરહદના ગામડાઓમાં પોલીસ પેટ્રોલિંગ સહિતની ગતિવિધિઓ તેજ બનાવાઈ છે. SPએ મોડી રાત્રે સુઈગામ વિસ્તારના ગામડાઓની મુલાકાત લીધી હતી અને સરપંચો તથા સ્થાનિક આગેવાનોના ફોન નંબર પણ મેળવવામાં આવ્યા છે. તંત્ર સ્થળાંતરની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર થયું છે અને બોર્ડર સુરક્ષા તેમજ સરહદી વિસ્તારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સરહદી ગામડાઓના લોકોનો જુસ્સો યથાવત્ રહ્યો છે.
સાંબા સેક્ટરમાં પાકનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
જમ્મુ કાશ્મીરના રાજૌરી, પૂંછમાં ગોળીબાર થઇ રહ્યો છે.LoC પર એક બાદ એક વિસ્ફોટના અવાજ સંભળાઇ રહ્યા છે. બંને દેશો વચ્ચે મધરાતથી મોટાપાયે ગોળીબાર થઇ રહ્યો છે. સાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરાયો છે. ઘૂસણખોરીના પ્રયાસને BSFએ નાકામ બનાવ્યો.
પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યાનો video ભારતીય સેનાએ કર્યો જાહેર
પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યાનો video ભારતીય સેનાએ જાહેર કર્યો છે.
Indian Army says, "Pakistan Armed Forces launched multiple attacks using drones and other munitions along entire Western Border on the intervening night of 8 and 9 May 2025. Pak troops also resorted to numerous cease fire violations (CFVs) along the Line of Control in Jammu and… pic.twitter.com/5eMWup5sxo
— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2025
અમૃતસરમાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર, વાગી રહ્યા છે સાયરન
અમૃતસરમાં હવાઈ હુમલાની ચેતવણી ચાલુ છે, સતત સાયરન વાગી રહ્યા છે, શાળાઓ બંધ રાખવા
આજે ભુજ-ગાંધીધામના માર્ગની ટ્રેન રદ
સરહદ પર તંગ દિલને લઈને ટ્રેન નં. 94802 ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ્દ થઇ છે. આજરોજ ભુજ-ગાંધીધામના માર્ગની ટ્રેન રદ કરી છે. આ ટ્રેન સવારે 6.05 કલાકે રાબેતા મુજબ ગાંધીધામથી ઉપડશે. ભુજમાં એરપોર્ટ બંધ થયા બાદ રેલમાર્ગ ખોરવાયો છે.
ભારત સરકારના આદેશ પર X પર 8000 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા
ભારત સરકારના આદેશ પર X પર 8000 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા X એ માહિતી આપી છે કે સરકારના એક્ઝિક્યુટિવ ઓર્ડરને પગલે તેણે ભારતમાં 8000 એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે.
ભારતે પાકિસ્તાનના 50થી વધુ ડ્રોન તોડી પાડ્યા
ગઈકાલે રાત્રે, પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદો પર અનેક સ્થળોએ સ્વોર્મ ડ્રોન મોકલ્યા, જેને એન્ટી-ડ્રોન ઓપરેશન દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટમાં ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમોએ મોટા પાયે ડ્રોન વિરોધી કાર્યવાહી હાથ ધરી અને 50 થી વધુ ડ્રોનને તોડી પાડ્યા. આ અથડામણમાં L-70 તોપો, Ju-23 mm, શિલ્કા સિસ્ટમ્સ અને અન્ય અદ્યતન કાઉન્ટર-UAS સાધનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવાઈ થ્રેટ્સના સામના કરવાના અભિયાનની આનાથી સજાવી લેણતંત્ર ક્ષમતા પરિબળ ઉજાગર થયું.
ભારત-પાક તણાવ પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, પરિસ્થિતિ ઝડપથી શાંત થાય
India Pakistan War News LIVE વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે એક ઇન્ટરવ્યુમાં એક મોટું નિવેદન આપ્યું છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું કે અમારા રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું છે કે અમે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને શાંત કરવા માંગીએ છીએ. આપણે એવા યુદ્ધમાં પડવાના નથી જે મૂળભૂત રીતે આપણા કાર્યક્ષેત્રમાં નથી.
જમ્મુ-કાશ્મીરમાં ફરી બ્લેકઆઉટ, સતત વાગતા સાયરન
જમ્મુના સંવેદનશીલ વિસ્તારોમાં ફરીથી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં સાયરનનો અવાજ ગુંજી રહ્યો છે. પાકિસ્તાન તરફથી ગોળીબાર બાદ જમ્મુ વિસ્તારમાં ફરી એકવાર અંધારપટ છવાઈ ગયો છે. માત્ર જમ્મુ જ નહીં, જમ્મુ વિભાગના રાજૌરી, પૂંછ અને સાંબામાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક વિસ્ફોટોના અવાજ સંભળાયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. દરમિયાન, મોડી રાત્રે, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) નજીક વિસ્ફોટોના અવાજો સંભળાયા. આખા વિસ્તારમાં અંધારું છે.
India Pakistan War News LIVE: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
ભારતે PoKના કોટલીમાં મોટો હુમલો કરીને પાકિસ્તાન સામે બદલો લીધો. ભારતે તોપો અને ડ્રોન બંનેથી હુમલો કર્યો છે. આ બદલાની કાર્યવાહીમાં મોટા પાયે નુકસાન થયાની શક્યતા છે.
India Pakistan War News LIVE : PoKના મુઝફ્ફરાબાદ શહેરમાં મોટો વિસ્ફોટ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના મુઝફ્ફરાબાદ શહેરમાં એક જોરદાર વિસ્ફોટ થયો છે. જેના કારણે સમગ્ર શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ અને અંધારપટ છવાઈ ગયો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ મુઝફ્ફરાબાદની હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં ઈમરાનખાનના સમર્થકો સરકારની વિરુદ્ધ ઉતર્યા રોડ પર
ભારત પર હુમલો કરીને ભરાઈ ગયેલા પાકિસ્તાનમાં ઈમરાનખાનના સમર્થકો હવે શાહબાઝ શરીફની સરકારની વિરુદ્ધમાં રોજ પર ઉતર્યાં છે. સરકાર વિરુદ્ધ અને ઈમરાન તરફી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ડ્રોન અને તોપથી ભારતનો PoK માં ભારે હુમલો
ભારતે પીઓકેમાં મોટો બદલો લેવાનો પ્રયાસ કર્યો છે. ડ્રોન અને તોપમાંથી ગોળા છોડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ડ્રોનનો ઉપયોગ કરીને વળતો હુમલો પણ કરવામાં આવ્યો હતો. ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
પાકિસ્તાનના 15 શહેરમાં ભારતનો એકસાથે હલ્લાબોલ
પાકિસ્તાનને ભૂતકાળમાં ક્યારેય પણ ના થઈ એટલી ખુવારીનો વારો આવે તેવી સ્થિતિ ભારતે સર્જી દીધી છે. એક વાર છોડ્યા બાદ ફરી હુમલો કરવાનુ દુસાહસ કરનાર પાકિસ્તાનને 10 પેઢી ના ભૂલે તેવો માર આપવા ભારતે કમ્મર કસી લીધી છે. ભારતે એક સાથે પંદર શહેર પર હલ્લાબોલ કર્યો છે.
લાહોર, પેશાવર, સિયાલકોટ, ઈસ્લામાબાદ બાદ હવે કરાચીનો વારો, બંદરને મેદાનમા ફેરવી નાખશે ભારત
ભારતે પાકિસ્તાન સામે બદલો લીધો છે અને કરાચી બંદરને ખેદાનમેદાન કરી નાખ્યું છે. પાકિસ્તાનને તેના દુષ્કૃત્યની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.
ભારતનો કરાચી બંદર પર હુમલો, નેસ્તનાબૂદ કરાયું
પાકિસ્તાનને વળતા જવાબ રૂપે ભારત દ્વારા કરાઈ રહેલા હુમલામાં, કરાચી બંદરનો પણ ખુરદો બોલાવી દેવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારતે પાકિસ્તાનના સૌથી મોટા બંદર કરાચીમાં ઠેર ઠેર હુમલો કરીને બંદર ઉપરની કામગીરીને ભારે અસર કરી છે.
પાકિસ્તાન સેના પર BLAનો હુમલો
ભારતના વળતા પ્રહાર વચ્ચે BLA એ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો કર્યો છે. BLA પાકિસ્તાનની ગેસ પાઇપલાઇન ઉડાવી દેવામાં દીધી છે.
India Pakistan War News LIVE : ભારતના વળતા પ્રહારથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન
ભારત પર 24 કલાકમાં નિષ્ફળ હુમલો કર્યા બાદ હવે પાકિસ્તાન પસ્તાઈ રહ્યું છે. ભારતના વળતા આક્રમણને ખાળી ના શકનાર પાકિસ્તાને અનેક ક્ષેત્રે પારવાર નુકસાનનો સામનો કરી રહ્યું છે. ભારતના હુમલાથી પાકિસ્તાન રીતસરનું ફફડી રહ્યું છે. પાકિસ્તાને આતંરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માગી છે.
India Pakistan War News LIVE : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, સરહદી પરિસ્થિતિ અંગે બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ સાથે વાત કરી છે. તેમણે એરપોર્ટની સુરક્ષા અંગે CISFના ડાયરેક્ટર જનરલ સાથે પણ વાત કરી.
India Pakistan War News LIVE : સંરક્ષણ મંત્રાલયનું નિવેદન
પાકિસ્તાન દ્વારા ભારત ઉપર કરવામાં આવેલા હુમલા અંગે સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આજે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોએ જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા. SOP મુજબ પાકિસ્તાનના આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનના હુમલાથી કોઈ જાનહાનિ કે નુકસાન થયાના અહેવાલ નથી. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને પોતાના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

અમદાવાદ એરપોર્ટ સહીત ગુજરાતના સંવેદનશીલ જિલ્લામાં એલર્ટ
પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગુજરાતમાં અમદાવાદના એરપોર્ટ સહીત પાકિસ્તાન બોર્ડર નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.
અરબ સાગરમાં ભારતીય નૌકાદળ આવ્યુ એકશનમાં
પાકિસ્તાને બીજીવાર કરેલા હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ, ભારતે કરેલા વળતા હુમલામાં અનેક શહેરોમાં તબાહી મચાવી દીધી છે. ભારતીય વાયુદળે મિસાઈલ અને ડ્રોનથી કરેલા હુમલાઓ બાદ, અરબ સાગરમાં ભારતીય નૌકાદળ પણ સક્રીય થયું છે. અરબ સાગરમાં નૌકાદળના લડાકુ જહાજ આંતરરાષ્ટ્રીય મરિનલાઈન નજીક પહોચી રહ્યાં છે.
ભારતે અત્યાર સુધી સયંમ રાખ્યો, પાકિસ્તાને તોડી લક્ષ્મણરેખા, હવે કરીશુ ખેદાન મેદાન
વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ટેલિફોનીક વાત કરી છે. આ પછી, એસ. જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર કરેલ એક પોસ્ટમાં કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે કામ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું.
ભારતે મુલતાન, ફેસલાબાદની એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડી
ભારતે કરેલા વળતા હુમલામા પાકિસ્તાનના મુલતાન અને ફેસલાબાદની એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડી છે. આ સિસ્ટમ તોડી નાખ્યા બાદ, હવે તમામ મથકો ભારતના નિશાને આવી ગયા છે.
ભારતનો ઈસ્લામાબાદ, લાહોર, સિયાલકોટમાં મોટાપાયે મિસાઈલ હુમલો
પાકિસ્તાનના બીજા હુમલાને નિષ્ફળ બનાવીને ભારતે વળતો પ્રહાર કર્યો છે. ભારતે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ, લાહોર અને સિયાલકોટમાં ભારે મિસાઈલ મારો કર્યો છે.
PM મોદી, NSA અજીત ડોવાલ વચ્ચે તાકીદ બેઠક
પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં બીજીવાર ડ્રોન અને મિસાઈલથી કરેલા હુમલાને લઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનએસએ અજીત ડોવાલ વચ્ચે તાકીદની બેઠક યોજાઈ હતી.
India Pakistan War News LIVE : ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળ હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ, ભારતે વળતો જવાબ આપ્યો અને તેના ઘણા શહેરોને હચમચાવી નાખ્યા. પેજ રિફ્રેશ કરતા રહો…