Operation Sindoor : ભારતનો પાકિસ્તાન પર ઉગ્ર પ્રહાર

Operation Sindoor : ભારતનો પાકિસ્તાન પર ઉગ્ર પ્રહાર

Operation Sindoor : પહલગામની ઘટના બાદ આજે મોડી રાત્રે ભારતીય વાયુસેનાના ફાયટર વિમાનો પાકિસ્તાન પર ત્રાટક્યા, કોટલી, મુઝફ્ફરાબાદ અને બડાવલપુર પર એરસ્ટ્રાઈક

Operation Sindoor શું છે ?

ભારતીય સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે Operation Sindoor નો ઉદ્દેશ્ય આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો હતો જ્યાંથી ભારત વિરુદ્ધ હુમલાઓનું આયોજન અને સંચાલન કરવામાં આવી રહ્યું હતું. આ કાર્યવાહી ફક્ત આતંકવાદ વિરુદ્ધ છે, પાકિસ્તાની સેના વિરુદ્ધ નહીં.

Operation Sindoor : પહેલગામ હુમલાનો ભારતે શસ્ત્રોર્થી આપ્યો કડક જવાબ

Operation Sindoor નામ શું કામ રાખ્યું ?

પહલગામ હુમલામાં આતંકવાદીઓએ હિંદુ ધર્મના પરિણીત દંપતિઓને ટાર્ગેટ કર્યા હતા. ધર્મ પૂછીને પતિઓની નિર્દયતાથી હત્યા કરી અને તેમના પત્નીઓનું સિંદૂર, એટલે કે સુહાગના પ્રતીકને તેમના જ સામે ખૂણાવ્યું. આ ષડયંત્ર માટે આતંકીઓને સ્પષ્ટ નિર્દેશો મળ્યા હતા – “સિન્દૂર ભૂંસો”, એટલે કે હિંદુઓને મટાડો.

આજની ભારતીય સંસ્કૃતિમાં સિંદૂર માત્ર શૃંગાર નથી – તે પત્નીની આસથા, પ્રેમ અને પતિના આયુષ્યનું પ્રતીક છે. જેમણે આ સિંદૂર છીનવ્યું, હવે તેમને તેનો જ વાજબી અને ઉગ્ર જવાબ મળ્યો છે – એટલે જ આ કાર્યવાહીનું નામ Operation Sindoor રાખવામાં આવ્યું, જે વિધવા થયેલી બહેનો માટે ન્યાયનું પ્રતીક છે.

Operation Sindoor : 22 એપ્રિલ 2025 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 લોકોના મોત થયા હતા. ઓપરેશન સિંદૂર આ આતંકવાદી હુમલાનો જવાબ છે. પાકિસ્તાન પરના આ હવાઈ હુમલા પછી, ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ચલાવવામાં આવ્યું હતું.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં નવ સ્થળોએ હવાઈ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને Operation Sindoor નામ આપવામાં આવ્યું. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. ભારતે આ હુમલાઓ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કર્યા હતા.

22 એપ્રિલ 2025 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 લોકોના મોત થયા હતા. Operation Sindoor આ આતંકવાદી હુમલાનો જવાબ છે.

પાકિસ્તાન પરના આ હવાઈ હુમલા પછી, ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ચલાવવામાં આવ્યું હતું. તેનો હેતુ પાકિસ્તાન સાથે યુદ્ધને પ્રોત્સાહન આપવાનો નથી.

ભારતે ફરીવાર પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો

પહલગામ હુમલામાં 25 ભારતીય અને એક નેપાળી નાગરીકના મોત બાદ ભારતે ફરીવાર પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતીય સુરક્ષા બળોએ Operation Sindoor હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ અભિયાનમાં કૂલ 9 આતંકી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યાં છે.

કાર્યવાહી એર રણનીતિનો ભાગ રહ્યો છે. કોઈ પણ પાકિસ્તાની સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવામાં નથી આવ્યા. ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઈલો છોડી હતી. તેમજ એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભારત આતંકવાદ વિરૂદ્ધ સખત પગલા લેવામાં કટિબદ્ધ છે. આ હુમલાથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભારત હવે માત્ર ચેતવણી નહીં આપે પણ જવાબમાં કાર્યવાહી પણ કરશે.

પહલગામમા આતંકીઓએ જ્યારે હુમલો કર્યો ત્યારે ત્યાં તેમણે કોઈ મહિલાનો જીવ નથી લીધો. પરંતુ આ ઓપરેશનના નામ પાછળ પણ એક કારણ છુપાયેલુ છે. જ્યારે આતંકીઓ આપણી મહિલાઓના સિંદુરને છીનવી લેવાની સાજિશ કરે ત્યારે તેને જવાબ પણ એ જ પ્રતિકથી આપવામાં આવે. આ સંદેશ સ્પષ્ટ છે.ભારતે Operation Sindoor દ્વારા માત્ર આતંકવાદીઓને માત્ર પાઠ નથી ભણાવ્યો પણ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, હવે કોઈપણ મહિલાના સિંદૂર પર હાથ નાખવો એ એક્ટ ઓફ વોર માની લેવામાં આવશે.

આ ઓપરેશન માત્ર અને માત્ર આતંકવાદ વિરૂદ્ધ હતું

Operation Sindoor : ભારતની આ કાર્યવાહી સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે. કોઈ અસૈન્ય ઠેકાણું અથવા તો સામાન્ય નાગરિક આ કાર્યવાહીની ચપેટમાં નથી આવ્યા. ભારતીય વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ ઓપરેશન માત્ર અને માત્ર આતંકવાદ વિરૂદ્ધ હતું. પાકિસ્તાનના સાર્વભૌમત્વ વિરૂદ્ધ નહોતુ. આ ઓપરેશન બાદ પાકિસ્તાનમાં ડર ચોક્કસ જોવા મળ્યો છે. અનેક આતંકી ઠેકાણાઓને ખાલી કરી દેવામાં આવ્યાં છે અને સીમા પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયુ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by I love surat ❤️ (@ilovesurat)

ભારતની ઉગ્ર કાર્યવાહી

Operation Sindoor થકી ભારતે પાકિસ્તાનને દેખાડી દીધું છે કે, હવે ભારત જુની નીતિ પર નહીં ચાલે. 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ આ ત્રીજી મોટી કાર્યવાહી છે. જે સીધી પાકિસ્તાની ધરતી પર જઈને કરવામાં આવી છે. આ ઓપરેશનનો મોટો સંદેશ એ છે કે ભારત હવે વાત નહીં માત્ર જવાબી કાર્યવાહીમાં વિશ્વાસ રાખે છે. પાકિસ્તાને હવે નક્કી કરવાનું છે કે તે આતંકીઓને શરણ આપશે કે પછી એક જવાબદાર પાડોશી દેશ તરીકે વ્યવહાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *